જાતમહોરા પહેરતા ના આવડ્યું.
ને રમત રમવા નીકળ્યા જગની.
ના ઉતારી શકાયો દાવ પૂર્વ નો
તો.. ‘શર્મિ’, જીતની તને ઝંખના શાને ? -“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

મિત્રો આસ્વાદનો પ્રયત્ન કર્યો છે મારી રીતે:
આ જગતને સતરંજી રમતનુ મેદાન કહ્યું છે.
જ્યાં દરેક કિરદારના અલગ અલગ મહોરા હોય છો. એટલે કે મતલબ પ્રમાણે મહોરા પહેરી એના જેવી ચાલ ચાલતા આવડે તો કદાચ જીતી શકાય. જોકે એમાં પણ કઠપૂતળીની જેમ દોરી સંચાર તો શ્રી હરિના હાથમાં જ છે.
આપણને મહોરા પહેરતા ન આવડ્યું.. બસ સાલસતાથી જેવા છીએ એવા જ બનીને જીવવા ગયા, વળી હજી તો આગલા જન્મોના કર્મોનો હિસાબ પણ નથી ચૂકવી શક્યા.. હવે તમે જ કહો આપણે જે જીતવાની આશા રાખીએ છીએ એ વાજબી કહેવાય..
-શર્મિષ્ઠાશબ્દકલરવ